આરોપીઓને ગોંધી રાખી માર મારી પૈસા પડાવવાની પેરવી મામલે

બોરતળાવના તત્કાલીન PSI સહિત ચાર પોલીસ કર્મી. વિરૂદ્ધ ગુનો નોંધવા કોર્ટનો આદેશ

ભાવનગર, સોમવાર ભાવનગરના બોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના આરોપીઓને ત્રણ દિવસ ઓનેઓન રાખીને મારમારી બળજબરીપૂર્વક પૈસા પડાવવાની પેરવી કરતા આરોપીઓએ પૈસાની

સગવડ ન હોવાનું જણાવતા તેના પિતા પાસે પણ દીકરાને અન્ય ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી.આ મામલે અદાલતે બોરતળાવ પોલીસ મથકના તત્કાલીન પી.એસ.આઈ.સોલંકી સહિતના પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવા હુકમ કયી છે.

પૈસાની સગવડ ન હોય આરોપીના પિતાને ધમકાવી રૂ. ૧૫ હજારની કરી હતી માંગણી
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આશરે દોઢ વર્ષ પહેલા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં .૧૧૯૮૦૧૫૨૨૦૮૭૭થી એક ફરીયાદ ઈ.પી.કો.કલમ-૪૫૭, ૩૮૦ અને ૧૧૪ તળે નોંધાયેલી હતી, જેના આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે ભાણુ ધીરૂભા જાડેજા અને ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટની સામે નોંધાયેલ.

આફરીયાદના અનુસંધાને બોરતળાવ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એસ.આઈ. આર.એસ.સોલંકી, કોન્ટેબલ ગોવિંદસિંહ કાનાભાઈ, કુલદિપસિંહ લગ્ધીરસિંહ, ગલતાનસિંહ જામસિંહ અને અનીલભાઈ મનુભાઈ નામના પોલીસ અધિકારીઓ ધ્વારા બંને આરોપીઓને તા.૨૦-૨૧-૨૨ ૦૬ ૨૦૨૨ ના રોજ એરેસ્ટ કરીને ઓનેઓન પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી, માર મારી અને બળજબરી પૂર્વક પૈસા પડાવવાની પેરવી કરતા યેનકેન પ્રકારે આરોપીઓ પૈસાની સગવડ ન કરતા આરોપી ભાર્ગવના પિતા કનૈયાલાલ પાસે પણ આ પાલીસ અધિકારીઓ ઘ્વારા રૂા .૧૫,૦૦૦ ની માંગણી કરવામાં આવેલ હતી અને જો તમો રૂા .૧૫,૦૦૦ નહી આપો તો તમારા દિકરાને બીજા ગંભીર ગુનામાં સંડોવી દેવામાં આવશે અને ક્યારેય જામીન નહી મળે તેવી કલમો ઉમેરવામાં આવશે તેવુ જણાવેલ હતું.

કનૈયાલા પાસે પૈસાની સગવડ ન હોય અને બીજા આરોપીઓની પણ આર્થિક સ્થિતી સારી ન હોય સ અને તેઓ પોલીસવાળાને પૈસા આપી શકેલ નહી. અને પોલીસવાળાએ આરોપીઓને ઓનેઓન રાખી, શારીરીક અને માનસીક ત્રાસ આપી તા. ૨૩ / ૦૬ / ૨૦૨૨ ના રોજ તેઓની સામે ગુનો નોંધીને તેઓને કોર્ટમાં રજુ કર્યા હતા.

તે વેળાએ કાયદાની જોગવાઈ મુજબ કોર્ટ ધ્વારા આરોપીઓને પોલીસ સામે કોઈ ફરીયાદ છે કે કેમ તે અંગુ પુચ્છા કરતા તે બંને આરોપીઓએ જણાવેલ કે ઉપરોકત પોલીસાવાળાએ ખૂબ ખૂબ જ માર મારેલ છે .પૈસાની માંગણી કરેલ છે, ત્રણ દિવસ સુધી ઓનેઓન રાખેલ છે તેવી ફરીયાદ કરતા નામદાર કોર્ટે પ્રથમ તબકકે મેડીકલ કરાવવાનો આદેશ કરેલ હતો અને આ આરોપીની ફરીયાદને ઈન્કવાયરી રજીસ્ટરે નંબરે લઈને પોલીસવાળાઓ સામે ઈન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવેલ હતો .

તેમા ઈન્કવાયરી દરમ્યાન કોર્ટે બંને આરોપીઓના મેડીકલ રીપોર્ટ, જેલરનો રીપોર્ટ, મેડીકલ ઓફીસરના રીપોર્ટના આધારે તેવો હુકમ કરેલ હતો કે આરોપી/ ફરીયાદીની હકીકત પ્રથમ દૃષ્ટિએ ખરી છે અને તેવા સંજોગોમાં એક આરોપીના પિતા કે જેમની પાસે રૂ.૧૫,૦૦૦/- માંગવામાં આવેલ હતા તેમની પણ જુબાની લેવામાં આવેલ હતી .આ તમામ સરકારી રીપોટી આરોપીના પિતાની જુબાનીના આધારે ભાવનગરના ૮ મા એડીશ્નલ ચીફ જયુ.મેજી . ધ્વારા તમામ પોલીસવાળાઓ સામે આઈ.પી.સી કલમ-૧૬૬ (એ), ૩૮૯ , ૩૨૩, ૧૧૪ અને ૫૦૬ (૧) તળે । ગુન્હો નોંધવા આદેશ કરેલ છે .

  • Related Posts

    જિલ્લા કક્ષાના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

    જાગૃતિ રેલી યોજાઈ, શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું બહુમાન કરાયું વ્યારા ખાતે જિલ્લા કક્ષાના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી સંચાલિત DISHA-DAPCU તાપી દ્વારા આ કાર્યક્રમનું…

    સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય પ્રભારીશ્રી શિવઓમ મિશ્રાએ વ્યારા નગરપાલિકાની મુલાકાત લીધી

    જળ વાટિકા ગાર્ડન અને ડમ્પ સાઈટ સહિત વિવિધ સ્થળોની વિઝિટ લઈ વ્યારા નગરપાલિકાની કામગીરીને બિરદાવી સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય પ્રભારીશ્રી શિવ ઓમ મિશ્રા તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તાપી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    જિલ્લા કક્ષાના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

    સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય પ્રભારીશ્રી શિવઓમ મિશ્રાએ વ્યારા નગરપાલિકાની મુલાકાત લીધી

    આજ રોજ ગુજરાત વિધાનસભા અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિનો ઉત્તર અને મધ્ય ગુજરાતના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગની યોજનાઓનો સમીક્ષા કરી સંતરામપુરના ગોઠિબ ખાતે પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી આજ વિસ્તારના ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોર સાહેબ વિશેષ ઉપસ્થિત રહને આવકાર કર્યો હતો સાથે સમિતિના પ્રમુખશ્રી અભેસિંહભાઈ તડવી સાહેબ સાથે સાથી ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખ, તથા કાંતિ ખરાડીજી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

    • By SANGEETA
    • November 28, 2025
    • 14 views

    સરૈયા–બંધારપાડા–ટેમ્કા માર્ગ પર વાયડનિંગ તથા રિસરફેસિંગની તેમજ ડામર કામગીરી તેજ ગતિએ શરૂ

    • By SANGEETA
    • November 28, 2025
    • 12 views

    “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM” થીમ હેઠળ તાપી જિલ્લાના ગડત ખાતે જીલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

    • By SANGEETA
    • November 27, 2025
    • 11 views

    ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું