લીબંડીમાં રામકથાને લઈને પૂજ્ય મોરારીબાપુનું આગમન.

લીબંડીમાં રામકથાને લઈને પૂજ્ય મોરારીબાપુનું આગમન.

નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીંબડી ખાતે આજે મોરારીબાપુનું આગમન થયું હતું ત્યારે પૂજ્ય મોરારીબાપુનું સામૈયું કરાયું હતું ત્યારબાદ મોરારીબાપુએ ચંત્રભુજ ભગવાનનાં દર્શન કરી અને બપોરનાં સમયે મોટા મંદિરથી કથામંડપ સુધી લીબંડી શહેરનાં મુખ્ય માર્ગોમાં થઈ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.

ઉલ્લેખનીય છે કે ૩ થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન લીબંડી મોટા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા, મોરારીબાપુની રામકથા અને ૧૧૧૧ કુંડી મહાવિષ્ણુયાગનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે.

230 વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો પ્રસંગ સેવા, સહાય, સંસ્કારનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે.
તેમજ નિમ્બાર્કાચાર્યનાં જીવન સાથે જોડાયેલ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે નવ દિવસ સુધી ભવ્ય રક્તદાન શિબિર કેમ્પ યોજાશે તથા મેડિકલ કેમ્પ,ખેડૂતો માટે સેમિનાર, મહિલા સશક્તિકરણ તેમજ આનંદમેળો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે લીબંડીનાં આંગણે મોરારીબાપુની ત્રીજી રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે.

મોટા મંદિરેના મહંતશ્રી મહામંડલેશ્વર લાલદાસબાપુ તથા મોટા મંદિર ટ્રસ્ટીગણ અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પોથીયાત્રામાં લાલદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં લીબંડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા,ભારત વર્ષના સાધુ-સંતો હાજર રહ્યા હતા તેમજ રાજકીય મહાનુભાવોમાં કિરીટસિંહ રાણા સહીતનાં મોટી સંખ્યામાં લીબંડી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા લોકો ઊમટી પડ્યા હતાં ……

  • Related Posts

    માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેઓશ્રીને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

    ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું લોકાર્પણ…

    માન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું… જેમાં વિશાળ ગાર્ડન,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેઓશ્રીને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

    ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું લોકાર્પણ…

    ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લામાં આગામી ૬ થી ૧૧ નવેમ્બર દરમ્યાન તાલુકા કક્ષાની રમતો યોજાશે

    અવસર આનંદનો…અવસર અભિવાદનનો…આ એક સંઘર્ષમય સફરથી સિદ્ધિ સુધીના પ્રેરણાનો‌ ઉત્સવ છે…

    ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પદાધિકારીઓની યાદી

    ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પદાધિકારીઓની યાદી

    અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો

    અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો